શનિવાર, 26 જાન્યુઆરી, 2013

તા.26-01-2013થી અમારું સરનામું બદલી રહ્યું છે...


આનંદ સાથે જણાવવાનું કે તા.26-01-2013થી અમારું સરનામું બદલી રહ્યું છે...

અમારા બ્લોગ – mryogi62.blogspot.com  થી અમે અમારી નવલી વેબસાઈટ  http://yogish.co.in  માં સ્થળાંતર કરી રહ્યા છીએ.

અમારું નવલું સરનામું તમારા Bookmark  નામક  ઈ-હૈયામાં  સાચવીને લખી લેશો જી...

http://yogish.co.in

વધુ બારી-બારણાં વાળું અને  રાચરચીલાથી સભર આ અમારું નવું ઘર તમારા આગમનની પ્રતીક્ષામાં છે.

અમારા આ આગવા ગૃહપ્રવેશ પર અમે આપ સર્વને યાદ કરી કરીને  હરખભેર નિમંત્રીએ છીએ.
વેબ પર એક લટાર  મારી અમને રૂડું લગાડશો જી...
ત્યાં તમે થોડા શબ્દોનો ચાંદલોપણ કરી શકો છો...

આપના પ્રિય ઈ-સામયિક  નિસ્યંદનનું પ્રકાશન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે અહીંથી જ થશે...

આ ઉપરાંત વિશ્વકાવ્ય મંચ અને મારા સાહિત્યસર્જનના વિભાગો પણ ખરા જ...

રાહ જોઈએ છીએ...

યોગેશ વૈદ્ય                                             26-01-2013



સોમવાર, 7 જાન્યુઆરી, 2013

'નિસ્યંદન' સળંગ અંક -6 આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........




O અંક ડાઉનલોડ લિંક-
O પુસ્તક રૂપે વાચવાની લિંક (Google Chrome Frame Required)-

આ અંકમાં

O કવિ સતીશચન્દ્ર વ્યાસ શબ્દપીયૂષ ઠક્કર ,રમણીક સોમેશ્વર ,ફારૂક શાહ ,‘સાહિલ’ ,
   મિલિન્દ ગઢવી ,હિમાન્શુ પટેલ ,સુલતાન લોખંડવાલા ,સુધીર પટેલના કાવ્યો.
O આ અંકના ફોટોકલાકાર- દક્ષિણ પોલેન્ડ ના માર્સિન સાશા (Marcin Sacha)
O હિમાન્શુ પટેલ  તથા હર્ષદ દવેના કાવ્યાનુવાદ
O અલગ કેડો કંડારવા વાળા... યોગેશ વૈદ્ય
O નિસર્ગ આહીરનો લેખ - કલાનાં વિવિધ પાસાંનું વિહંગાવલોકન 
O અરથ અંતરી. -   ફારૂક શાહ                                                             
O પુસ્તક પરિચય : સ્વૈર ઉડ્ડયન ' પવનની પંક્તિઓ વચ્ચે'. -  જિતુ   પુરોહિત
O કેકારવ - કવિ પ્રબોધ ર. જોશીનું કાવ્યપઠન
O સાહિત્યવૃત્ત અને આપના પ્રતિસાદ
O આપણી સાહિત્ય ધરોહર - મણિલાલ નભુભાઈ દ્વિવેદી

આ સાથે નિસ્યંદનના ડિજીટલ પ્રકાશનનું પ્રથમ વર્ષ પૂરું થાય છે. એક વર્ષમાં નિસ્યંદન4500 મેઇલ આઈ.ડી. પર પ્રત્યક્ષ અને 10000 વાચકો સુધી પરોક્ષ રીતે પહોંચતું થયું છે. આપના પ્રેમ આવકાર અને  સહયોગ વડે જ આ શક્ય બની શક્યું છે.

કવિઓ, સાહિત્યકારોને આવાહન કે તેઓની કવ્યપોથીમાંના પતંગિયાંઓને નિસ્યંદનતરફ ઊડતાં કરે...

જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઇલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.
લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.
અમને મળવાનાં ઠામ ઠેકાણા
O ટપાલી દ્વારા    યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ,  વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.
ઈ-મેઈલ દ્વારા mryogi62@gmail.com                        

આપના પ્રતિસાદને સાંભળવા ઉત્સુક છું....
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

યોગેશ વૈદ્ય
તંત્રી - સંપાદક